અમારી પાસે ૩ ઇડિયટ્સ ૨ માટે અદ્ભુત આઇડિયા છે : રાજકુમાર હીરાણી

26 August, 2016 04:15 AM IST  | 

અમારી પાસે ૩ ઇડિયટ્સ ૨ માટે અદ્ભુત આઇડિયા છે : રાજકુમાર હીરાણી




રાજકુમાર હીરાણી હાલમાં સંજય દત્તની બાયોપિક પર કામ કરી રહ્યા છે અને ત્યાર બાદ તેઓ ‘મુન્નાભાઈ’ સિરીઝની આગામી ફિલ્મ પર કામ કરશે. આ સિવાય પણ તેઓ એક ફિલ્મ વિશે વિચારી રહ્યા છે અને એ ‘૩ ઇડિયટ્સ ૨’ છે. રાજકુમાર હીરાણીને પૂછવામાં આવ્યું કે શું તેઓ આમિર સાથે ફરી કામ કરશે ત્યારે તેમણે કહ્યું હતું કે ‘આમિર સાથે કામ કરવાની હંમેશાં મજા આવે છે. આમિર એવી વ્યક્તિ છે કે તે સંપૂર્ણ રીતે ફિલ્મ સાથે જોડાઈ જાય છે. તેથી મને તેની સાથે કામ કરવાનું ગમશે. મારી પાસે ‘૩ ઇડિયટ્સ ૨’ માટે ખૂબ જ અદ્ભુત આઇડિયા પણ છે. મેં અને લેખક અભિજાત જોશીએ આ આઇડિયા આમિરને કહી સંભળાવ્યો છે. આમિરને પણ આ આઇડિયા ગમ્યો છે. જો આ આઇડિયાનો અમલ કરવામાં આવ્યો તો અમે બહુ જલદી ફરી સાથે કામ કરીશું.’