19 August, 2012 05:11 AM IST |
શત્રુઘ્ન સાથેની રજનીકાન્તની મિત્રતા વિશે માહિતી આપતાં શત્રુઘ્નની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘શત્રુઘ્નજીને હૉસ્પિટલમાં દાખલ કર્યા ત્યારથી રજનીસર નિયમિત રીતે ચેન્નઈથી ફોન કરીને હાલચાલ પૂછતા રહે છે. શત્રુઘ્નજીની તબિયતમાં એકાએક સમસ્યા ઊભી થતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા એટલે પરિવારજનોની જેમ જ રજનીસર પણ ગભરાઈ ગયા હતા.’
શત્રુઘ્નની તબિયત પૂછવા માટે રજનીકાન્તની મુંબઈ મુલાકાત વિશે વાત કરતાં શત્રુઘ્નનો નજીકનો એક મિત્ર કહે છે, ‘રજની અને શત્રુઘ્ન બન્ને સૅજિટેરિયન છે. રજની શત્રુઘ્નને પોતાના ગુરુ માને છે, કારણ કે જ્યારે રજનીકાન્ત નવોદિત હતા ત્યારે તેઓ શત્રુઘ્નને પોતાનો આદર્શ માનતા હતા અને તેમણે શત્રુઘ્નની ‘રામપુર કા લક્ષ્મણ’ ૩૬ વખત જોઈ હતી. તેઓ એકબીજાની બહુ નજીક છે. રજનીસર શત્રુઘ્ન હૉસ્પિટલમાંથી ઘરે આવે એની જ રાહ જોઈ રહ્યા હતા અને હવે તેઓ અનુકૂળતાએ ચેન્નઈથી મુંબઈ તેમની ખબર કાઢવા આવી જશે.’