રાઝ ૩ ઇમરાન માટે અપશુકનિયાળ

07 September, 2012 06:00 AM IST  | 

રાઝ ૩ ઇમરાન માટે અપશુકનિયાળ

હાલમાં ઇમરાન હાશ્મીના પપ્પા અનવર હાશ્મી ખૂબ ડરેલા છે. તેમને લાગે છે કે ઇમરાનની આગામી ફિલ્મ ‘રાઝ ૩’ બ્લૅક મૅજિક પર આધારિત હોવાથી તેમના દીકરાની આસપાસ પણ ખૂબબધી નેગેટિવ એનર્જી મંડરાઈ રહી છે. એ નકારાત્મકતાથી બચવા પપ્પાએ ઇમરાનને એક પવિત્ર દોરો કાંડા પર બાંધવાનું અને એક પવિત્ર સ્થળની યાત્રા કરવાનું સૂચવ્યું છે. ઇમરાનના હાથમાં ઘણી વાર વિવિધ રંગના પથ્થરોની વીંટીઓ પણ પહેરેલી જોવા મળે છે. તેની ફૅમિલી જ્યોતિષશાસ્ત્ર અને અકળ વિદ્યાઓમાં માને છે. એટલે જ હાલમાં તેના પપ્પાને લાગે છે કે તેની આગામી ફિલ્મથી ઇમરાનને કોઈ પ્રકારનું નુકસાન થવાની શક્યતા છે.

આજ્ઞાંકિત દીકરાની જેમ ઇમરાન પણ પપ્પા જેમ કહે છે એમ કરે છે.