‘શૂટઆઉટ ઍટ લોખંડવાલા’માંથી વિવેક ઑબેરૉયને કાઢવા કહેતા હતા પ્રોડ્યુસર્સ : ફિલ્મમેકર અપૂર્વ લાખિયા

31 May, 2023 05:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, સંજય દત્ત, સુનીલ શેટ્ટી, અરબાઝ ખાન, તુષાર કપૂર, રોહિત રૉય અને શબ્બીર અહલુવાલિયા પણ લીડ રોલમાં હતા

વિવેક ઑબેરૉય

ફિલ્મમેકર અપૂર્વ લાખિયાએ જણાવ્યું છે કે ‘શૂટઆઉટ ઍટ લોખંડવાલા’ ફિલ્મમાંથી વિવેક ઑબેરૉયને કાઢવા માટે તેના પ્રોડ્યુસર્સ તેને કહેતા હતા. એ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, સંજય દત્ત, સુનીલ શેટ્ટી, અરબાઝ ખાન, તુષાર કપૂર, રોહિત રૉય અને શબ્બીર અહલુવાલિયા પણ લીડ રોલમાં હતા. સંજય ગુપ્તાએ આ ફિલ્મ બનાવી હતી. વિવેકને ફિલ્મમાંથી કાઢવા વિશે અપૂર્વ લાખિયાએ કહ્યું કે ‘એ વખતે મેં જ્યારે વિવેકને આ ફિલ્મમાં લીધો તો અનેક પ્રોડ્યુસરે મને કૉલ કર્યા અને કહ્યું કે વિવેકને રિપ્લેસ કરો નહીં તો અમે તારી સાથે કામ નહીં કરીએ. જોકે મેં વિવેકને વચન આપ્યું હતું. તો એ વચન પરથી કેમ ફરી જાઉં? સંજુ સર, સુનીલ શેટ્ટી અને સંજય ગુપ્તાએ મને સપોર્ટ કર્યો હતો. એથી જો આટલા બધા મને સપોર્ટ કરતા હોય તો ભવિષ્યની શું કામ ચિંતા કરવાની? મેં વિચાર કર્યો કે જો ‘શૂટઆઉટ ઍટ લોખંડવાલા’ હિટ જશે તો જે લોકોએ મને રિજેક્ટ કર્યો છે તેઓ મારી પાસે ફરીથી આવશે. વિવેક સારો ઍક્ટર છે. મેં તેની ઍક્ટિંગ ક્ષમતાને જોઈને ફિલ્મમાં લીધો હતો. તે પ્રોફેશનલ છે. તેણે પોતાનું કામ ખૂબ સારી રીતે કર્યું છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood vivek oberoi shootout at lokhandwala