બળાત્કાર થાય છે કારણ કે લોકો કરે છે: પ્રિયંકા ચોપડા

20 December, 2012 03:02 AM IST  | 

બળાત્કાર થાય છે કારણ કે લોકો કરે છે: પ્રિયંકા ચોપડા

આ માત્ર મહિલાઓ સામે ગુનો નથી, સમાજ સામે ગુનો છે. મહિલાઓ માટે ઘણું કહેવાય છે કે તેમણે અમુક જ પ્રકારના ડ્રેસ પહેરવા જોઈએ, અમુક રીતે વર્તવું જોઈએ; પણ મને લાગે છે આ બધું વાહિયાત છે. મહિલાઓ પર એટલા માટે બળાત્કાર નથી થતો કે તેઓ ટૂંકો ડ્રેસ પહેરે છે, રાતે એકલી નીકળે છે કે તેણે ડ્રિન્ક લીધું છે; પણ એટલા માટે બળાત્કાર થાય છે કારણ કે લોકો બળાત્કાર કરે છે અને એ માટે કોઈ પણ જાતનો ખુલાસો કે સફાઈ ન હોઈ શકે.’