પ્રિયંકા હવે કોઈ સ્પોર્ટ્સપર્સનના જીવન પર બનનારી ફિલ્મ નહીં કરે

05 October, 2014 05:11 AM IST  | 

પ્રિયંકા હવે કોઈ સ્પોર્ટ્સપર્સનના જીવન પર બનનારી ફિલ્મ નહીં કરે



વળી પ્રિયંકાએ કરેલી મહેનતને પણ વખાણવામાં આવી હતી. એમ છતાં વિવિધ પ્રકારના રોલ કરવાની ઇચ્છા રાખતી પ્રિયંકાને હવે કોઈ પણ સ્પોર્ટ્સપર્સનના જીવન પરથી બનતી ફિલ્મો કરવાની ઇચ્છા નથી. થોડા સમય પહેલાં પ્રિયંકાને ભારતની પ્રથમ મહિલા ત્ભ્લ્ ઑફિસર કિરણ બેદીના જીવન પરથી બનનારી ફિલ્મમાં કામ કરવાની ઑફર મળી હતી, પણ એ બાબતે પણ પ્રિયંકાએ હજી સુધી કોઈ નિર્ણય નથી લીધો. ‘મૅરી કૉમ’ બાદ પ્રિયંકા ઝોયા અખ્તરની ‘દિલ ધડકને દો’નું શૂટિંગ કરી રહી હતી, ત્યાર બાદ તે સંજય લીલા ભણસાલીની ‘બાજીરાવ મસ્તાની’નું કામ શરૂ કરી શકે છે.