પ્રિયંકા ચોપડા જોનસ બનશે મા આનંદશીલા

22 February, 2020 11:17 AM IST  |  Los Angeles

પ્રિયંકા ચોપડા જોનસ બનશે મા આનંદશીલા

પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા ચોપડા જોનસ ઍમેઝૉનની ફિલ્મ ‘શીલા’માં મા આનંદશીલાની ભૂમિકામાં જોવા મળશે. મા આનંદશીલા ૧૯૮૧થી ૧૯૮૫ સુધી ઓશોનાં પર્સનલ સેક્રેટરી રહ્યાં હતાં. તેઓ ધાર્મિક સલાહકાર હતાં. તેઓ રજનીશપુરમ આશ્રમ ચલાવતાં હતાં.

૧૯૮૪માં રજનીશના અનુયાયી દ્વારા કરવામાં આવેલા ટેરરમાં તેમનું નામ મોખરે હતું. તેમના પર વસાહતીઓને ઘુસાડવાનો પણ આરોપ હતો. તેમના પર વિવિધ આરોપ હતા અને તેમને ૨૦ વર્ષનો જેલવાસ સંભળાવવામાં આવ્યો હતો. તેમના જીવનને હવે બારીકાઈથી જાણવાની તક લોકોને ‘શીલા’ ફિલ્મના માધ્યમથી જાણવા મળશે. આ ફિલ્મને પ્રિયંકા પ્રોડ્યુસ કરવાની છે.

priyanka chopra hollywood news entertaintment