શેતાનની પૂજા કરવાથી શિવજી નારાજ થઈ જાય છે : પ્રિયંકા

25 November, 2022 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુટ્યુબર રણવીર અલાહાબાદિયા સાથેની વાતચીતમાં પ્રિયંકાએ લાઇફ, સફળતા, કરીઅર અને અનેક વિષયો પર ચર્ચા કરી હતી.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા જોનસે શૈતાનની પૂજા કરવાની અફવાને ફગાવી દીધી છે. યુટ્યુબર રણવીર અલાહાબાદિયા સાથેની વાતચીતમાં પ્રિયંકાએ લાઇફ, સફળતા, કરીઅર અને અનેક વિષયો પર ચર્ચા કરી હતી. એ દરમ્યાન રણવીર અલાહાબાદિયાએ તેને પૂછ્યું કે એવી વાતો ચાલી હતી કે તેણે એક ઍક્ટ્રેસ તરીકે સફળ થવા માટે અને ભવિષ્ય ઉજ્જ્વળ બનાવવા માટે એક ષડ્યંત્ર રચ્યું હતું અને એ માટે શેતાનની પૂજા કરી હતી. આ સાંભળીને પ્રિયંકાએ જવાબ આપ્યો હતો, ‘ખરેખર આ તો ખૂબ ડરામણું કહેવાય. શિવજી મારાથી નારાજ થઈ જશે.’

એ દરમ્યાન ફિલ્મો વિશે પ્રિયંકાએ કહ્યું કે ‘મારી પાસે જે અવસર આવવા લાગ્યા હતા એની મને સમજ નહોતી પડતી. અચાનક લોકો મને ઓળખતા થયા અને મને વધુ ઓળખવા માગતા હતા અને મને ફિલ્મોની ઑફર્સ થવા માંડી હતી. મને એ પણ ખબર નહોતી કે ફિલ્મો કઈ રીતે સાઇન કરવાની હોય.’

entertainment news bollywood news bollywood gossips bollywood priyanka chopra