14 August, 2020 08:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એસ પી બાલસુબ્રમણ્યમ
પ્રખ્યાત ગાયક એસપી બાલાસુબ્રહ્મણ્યમ જેમને કોરોના પૉઝિટીવ હોવાના સમાચાર થોડા સમય પહેલાં જ આવ્યા હતા તેમની હાલત નાજુક છે. તેમની તબિયત સુધરી અને ફરી કથળતા તેમને આઇસીયુમાં દાખલ કરાયા છે. તેમની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે. આજા શામ હોને આઈ, મૌસમને લી અંગડાઇ જેવા ગીતોથી લોકોનાં દિલ જીતનારા બાલાસુબ્રમણ્યમને કોરોના ચેપ લાગ્યો હોવાથી ચેન્નાઈની એમજીએમ હેલ્થ કેર હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે, શુક્રવારે સાંજે ડૉકટરોએ એસ.પી.બાલાસુબ્રમણ્યમના સ્વાસ્થ્યનો રિપોર્ટ જણાવ્યો હતો.
તેઓ 5 ઑગસ્ટથી હૉસ્પિટલમાં છે અને તબિયત લથડતા તેને ગઈકાલે રાત્રે આઇસીયુ ખસેડાયા હતો અને સારવાર આપવામાં આવી રહી છે. ડોકટરોની એક ટીમ હાલમાં વેન્ટિલેટર પર મુકાયેલા બાલાસુબ્રમણિયનના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે બાલાસુબ્રમણ્યમની તબિયત ગઈરાતથી અચાનક બગડી ગઈ હતી.