Pk ૫૨૦૦ સ્ક્રીન પર રિલીઝ થશે

15 December, 2014 05:18 AM IST  | 

Pk ૫૨૦૦ સ્ક્રીન પર રિલીઝ થશે



૧૯ ડિસેમ્બરે બીજી કોઈ ફિલ્મ રિલીઝ થવાની ન હોવાથી અને ઘણી સ્ક્રીન મળવાની હોવાથી એ ફિલ્મ ૩૦૦ કરોડના બિઝનેસના ગોલ્ડન ફિગર પર પહોંચે એવી શક્યતા AIUકારો દર્શાવી રહ્યા છે. ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે ‘હા, અમે આ ફિલ્મને દેશનાં શક્ય એટલાં થિયેટરોમાં રિલીઝ કરવાના પ્રયત્નો કરીએ છીએ. આ ફિલ્મ ફૅમિલી એન્ટરટેઇનર હોવા ઉપરાંત આમિર અને રાજકુમાર હીરાણી દર્શકોને કંઈક નોખું આપવા પ્રયાસ કરે છે અને તેમની મોટા ભાગની ફિલ્મો લોકોને ખૂબ ગમી છે. એ ફિલ્મ ચોક્કસ કેટલી સ્ક્રીન પર રજૂ થશે એ અમે અત્યારે કહી ન શકીએ, કારણ કે અમે થિયેટરોમાં સ્ક્રીન નક્કી કરવાની પ્રક્રિયામાં છીએ.’