પાળતુ જાનવરોને છોડી મૂકનારા લોકોની ઝાટકણી કાઢી સોનાક્ષી સિંહાએ

10 April, 2020 04:19 PM IST  |  Mumbai Desk

પાળતુ જાનવરોને છોડી મૂકનારા લોકોની ઝાટકણી કાઢી સોનાક્ષી સિંહાએ

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિંહાએ એ લોકોને ઇડિયટ્સ કહ્યા છે જે લોકો પોતાનાં પાળતુ જાનવરોને રસ્તા પર છોડી રહ્યા છે. હાલમાં દેશમાં ફેલાયેલા કોરોના વાઇરસને કારણે લોકો એમ સમજી બેઠા છે કે જાનવરોને કારણે આ વાઇરસ ફેલાય છે. લોકો માહિતીના અભાવે આવી અફવાને પગલે પોતાનાં ડૉગ્સ, કૅટ્સ જેવાં અનેક પાળતુ પ્રાણીઓને ઘર બહાર કાઢી રહ્યા હતા. પોતાના પેટ્સ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનાક્ષીએ કૅપ્શન આપી હતી કે ‘મેં એવું સાંભળ્યુ હતું કે લોકો પોતાના ડૉગ્સને રસ્તા પર છોડી રહ્યા હતા, કારણ કે તેઓ એમ સમજે છે કે આ જાનવરોને કારણે વાઇરસ ફેલાય છે. તમારા માટે મારી પાસે એ ન્યુઝ છે કે તમે ઇડિયટ્સ છો. મારું માનવું છે કે તમારે તમારી અજ્ઞાનતા અને નિર્દયતાનો ત્યાગ કરવો જોઈએ.’

sonakshi sinha bollywood bollywood news bollywood gossips coronavirus covid19