લોકોને એવી ફિલ્મો જોવી ગમે છે જે તેમની કલ્પનાથી પર હોય : રાણા દગુબટ્ટી

26 December, 2018 02:56 PM IST  | 

લોકોને એવી ફિલ્મો જોવી ગમે છે જે તેમની કલ્પનાથી પર હોય : રાણા દગુબટ્ટી

રાણા દગુબટ્ટી

આ વિશે વધુ જણાવતાં રાણા દગુબટ્ટીએ કહ્યું હતું કે ‘હાલના સમયમાં ફ્રૅન્ચાઇઝીને મહત્વ આપવામાં આવે છે. આ માત્ર ‘બાહુબલી’ની જ વાત નથી, પરંતુ આ સમગ્ર માહિષ્મતી સામ્રાજ્યની વાત છે. લોકોએ આ પાત્રોને પોતાના મનમાં જીવંત રાખ્યાં છે. લોકોની ઇચ્છા હોય છે કે તેમને પોતાની કલ્પના બહારનો અનુભવ થોડા કલાકમાં થિયેટરમાં મળી જાય. ફિલ્મમેકર્સ અને સ્ટોરી ટેલર્સ તરીકે આપણે જે છીએ એની કિંમત કરવી જોઈએ.


ભારત પાસે અદ્ભુત પૌરાણિક પાત્રો છે. આપણે એને કેવી રીતે રજૂ કરીએ છીએ એ ખાસ મહત્વ ધરાવે છે. આપણે આવી ફિલ્મોને ભારતીયો માટે અનુરૂપ બનાવી એને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવી જોઈએે.’

entertaintment bollywood rana daggubati