પાર્લમેન્ટમાં પણ દેવ આનંદને શ્રદ્ધાંજલિ

09 December, 2011 08:15 AM IST  | 

પાર્લમેન્ટમાં પણ દેવ આનંદને શ્રદ્ધાંજલિ

 

લોકસભાનાં સ્પીકર મીરા કુમારે કહ્યું હતું કે ‘દેવ આનંદે તેમના પફોર્ર્મન્સથી માત્ર ભારતના જ નહીં, પણ બહારના દેશના લોકોને પણ જબરદસ્ત પ્રભાવિત કર્યા હતા. તેમના અવસાનથી ભારતીય ફિલ્મજગતમાં જે ખાલીપો ઊભો થયો છે એ ક્યારેય ભરાઈ નહીં શકે, પણ તેમની ફિલ્મો વડે તેઓ હંમેશાં અમર રહેશે.’

રાજ્યસભાના ચૅરમૅન અને દેશના ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ પણ રાજ્યસભામાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. લગભગ ૬૫ વર્ષની કરીઅર બાદ દેવ આનંદે ૮૮ વર્ષની ઉંમરે ભારતીય સમય મુજબ રવિવારે વહેલી સવારે લંડનમાં છેલ્લા શ્વાસ લીધા હતા.