બે માટે નહીં પરંતુ પોતાના માટે પોષણયુક્ત આહાર લેવો જોઈએ : કરીના

29 October, 2020 02:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે માટે નહીં પરંતુ પોતાના માટે પોષણયુક્ત આહાર લેવો જોઈએ : કરીના

કરીના કપૂર

પ્રેગ્નન્ટ કરીના કપૂર ખાનનું કહેવું છે કે તે બે માટે નહીં પરંતુ પોતાના માટે પોષણયુક્ત આહાર લે છે. એવી માન્યતા છે કે ગર્ભવતી મહિલાઓ પોતાના અને પોતાની અંદર ઊછરતા બાળક માટે જમે છે. સૈફ અલી ખાન અને કરીનાએ થોડા સમય પહેલાં જ પોતાના ઘરે આવનાર બાળકના ગુડ ન્યુઝ આપ્યા હતા. તેમને 3 વર્ષનો તૈમુર નામનો દીકરો પણ છે. પ્રેગ્નન્સીને લઈને ફેલાયેલી માન્યતા વિશે કરીનાએ કહ્યું હતું કે ‘એવી માન્યતા છે કે ગર્ભવતી મહિલાઓએ બે માટે જમવું જોઈએ. અનાજ અને શાકભાજીમાંથી પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે. મહિલાઓ પ્રેગ્નન્ટ થાય ત્યારે જમવા પ્રતિની તેની ઇચ્છાઓ વધી જાય છે. જોકે મને અહેસાસ થયો છે કે બે માટે નહીં પરંતુ હું મારી જાત માટે જમું છું.’

kareena kapoor excel entertainment