રાજેશ ખન્નાજીનું પાત્ર ભજવવાનું પ્રેશર નહીંવત્ છે : સિદ્ધાર્થ મલ્હોત્રા

30 January, 2017 05:09 AM IST  | 

રાજેશ ખન્નાજીનું પાત્ર ભજવવાનું પ્રેશર નહીંવત્ છે : સિદ્ધાર્થ મલ્હોત્રા

આ ફિલ્મને શાહરુખ ખાન, કરણ જોહર અને બી.આર. ફિલ્મ્સ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા પણ જોવા મળશે અને એનું શૂટિંગ આગામી મહિને મુંબઈમાં શરૂ કરવામાં આવશે. મર્ડર-મિસ્ટરી ફિલ્મ ‘ઇત્તેફાક’ વિશે સિદ્ધાર્થ કહે છે, ‘આ ફિલ્મ ઓરિજિનલ ‘ઇત્તેફાક’ની ડાયરેક્ટ રીમેક નથી. એની સ્ટોરીમાં બદલાવ કરવામાં આવ્યો છે. તેથી મેગા સુપરસ્ટાર રાજેશ ખન્નાજીનું પાત્ર ભજવવાનું પ્રેશર ઓછું છે. હું આ ફિલ્મ કરવા માટે ખૂબ જ ઉત્સાહી છું. હું તેમનો અને તેમની ફિલ્મોનો ખૂબ જ મોટો ફૅન છું. તેમની એક ફિલ્મ જે મને ખૂબ જ પસંદ પડી હતી એ છે ‘આનંદ’. મેં આજ સુધી મર્ડર- મિસ્ટરી ફિલ્મ નથી કરી તેથી પણ હું આ ફિલ્મ કરવા ખૂબ જ ઉત્સાહી છું.’