સુશાંતના અવસાનને અઢી વર્ષ પસાર થવા છતાં પણ એ ફ્લૅટમાં કોઈ રહેવા નથી માગતું

12 December, 2022 03:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૦ની ૧૪ જૂને સુશાંતનું એ ફ્લૅટમાં અકાળ અવસાન થયું હતું.

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂતના અવસાનને અઢી વર્ષ પસાર થઈ ગયાં છે એમ છતાં પણ એ ફ્લૅટમાં હજી સુધી કોઈ રહેવા નથી આવ્યું. બાંદરાનો એ ફોર-બીએચકે ફ્લૅટ આજે પણ ખાલી પડ્યો છે અને એનો માલિક હજી સુધી ભાડૂતને શોધી રહ્યો છે. ૨૦૨૦ની ૧૪ જૂને સુશાંતનું એ ફ્લૅટમાં અકાળ અવસાન થયું હતું. એ મકાન જોવા માટે તો અનેક લોકો એની મુલાકાત લે છે, પરંતુ તેમને જ્યારે જાણ થાય છે કે એ ફ્લૅટમાં સુશાંતનું અવસાન થયું હતું તો તેઓ પાછા હટી જાય છે. ૨૦૧૯માં સુશાંત આ આલીશાન ફ્લૅટમાં શિફ્ટ થયો હતો અને એના માટે તે મહિનાના ૪.૫૧ લાખ રૂપિયા ભાડું ચૂકવતો હતો. ફ્લૅટના માલિકે નક્કી કર્યું છે કે તે આ ફ્લૅટ સેલિબ્રિટીઝને નહીં આપે, પછી ભલે એ કેટલી પણ મોટી સેલિબ્રિટી કેમ ન હોય. તે કૉર્પોરેટ પર્સનને આ ફ્લૅટ આપવા માગે છે. 

entertainment news bollywood news bollywood gossips bollywood sushant singh rajput