09 March, 2020 08:47 PM IST | Ahmedabad
નેહા યાદવ, સિકંદર ખરબંદા
ઝી ટીવીના શો ‘ગુડ્ડન તુમસે ના હો પાએગા’ના મેકર્સ દર્શકો માટે ટ્વિસ્ટ લઈને આવવાના છે. તાજેતરમાં આ શોમાંથી અંતરાનું પાત્ર ભજવતી દલજિત કૌરની એક્ઝિટ થઈ ગઈ છે. અંતરાને મર્ડરના આરોપસર અરેસ્ટ કરવામાં આવે છે અને શોના ટ્રૅક મુજબ તેનું પાત્ર સમાપ્ત કરવામાં આવ્યું છે. અક્ષતને ખ્યાલ આવી ગયો છે કે ગુડ્ડન નિર્દોષ છે અને અંતરા મુખ્ય આરોપી છે. દલજિતની એક્ઝિટ થયા બાદ હવે બે નવા ચહેરાની એન્ટ્રી થવાની છે. નેહા યાદવ (સુહાની સી એક લડકી) અને સિકંદર ખરબંદા (નાગિન 4) આ શોમાં મહત્ત્વના રોલમાં જોવા મળશે. આ કલાકારો ગુડ્ડનના નજીકના સંબંધીઓ તરીકે એન્ટ્રી કરવાના છે.
‘ગુડ્ડન તુમસે ના હો પાએગા’ એક રોમૅન્ટિક-ડ્રામા છે જેમાં કનિકા માન અને નિશાંત મલકાની લીડ રોલમાં છે. શોના વર્તમાન ટ્રૅક મુજબ કુણાલ ગુડ્ડનને લગ્ન માટે દબાણ કરી રહ્યો છે અને ગુડ્ડન આ પરિસ્થિતિમાંથી ભાગવા મથે છે.