નવાઝુદ્દીનની પત્ની આલિયા દુબઈથી બાળકો સાથે મુંબઈ પરત ફરી, ભાડા પર લીધું ઘર

21 March, 2022 07:06 PM IST  |  Mumbai | Karan Negandhi

આલિયા થોડા મહિના પહેલા જ જ્યારે દુબઈ જઈ રહી હતી ત્યારે ખૂબ જ ખુશ હતી

ફાઇલ તસવીર

નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા તેના બંને બાળકો સાથે દુબઈમાં સ્થાયી થઈ ગઈ હતી. તે બાળકો સાથે મુંબઈ આવી ગઈ છે. જોકે, નવાઝુદ્દીનની પત્ની તેના નવા બંગલામાં નહીં, પરંતુ યારી રોડ પર ભાડાના મકાનમાં રહે છે. બંને ફરી એક કપલ તરીકે જીવશે કે કેમ તે જોવાનું બાકી છે.

આલિયા થોડા મહિના પહેલા જ જ્યારે દુબઈ જઈ રહી હતી ત્યારે ખૂબ જ ખુશ હતી અને તેની સાથે તેના બંને બાળકો પણ હતા, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેણીને લાગ્યું કે તે ત્યાં વધારે એડજસ્ટ થઈ શકશે નહીં. આ સાથે નવાઝના વ્યસ્ત શિડ્યુલને કારણે તેને માત્ર એક જ વાર દુબઈ જવાનો મોકો મળ્યો હતો. એવું લાગે છે કે ત્રણેયને દુબઈને તેમનું ઘર બનાવવું મુશ્કેલ થઈ રહ્યું છે અને તેઓ ભારતમાં પણ ઘર શોધી રહ્યાં હતાં. તેથી તેમને થોડા અઠવાડિયા પહેલાં મુંબઈ પાછાં ફરવાનું નક્કી કર્યું હતું.

જ્યારે આલિયા દુબઈ જઈ રહી હતી, ત્યારે આલિયાએ ETimes ને કહ્યું કે “નવાઝ અને મારા બાળકોને ઓનલાઈન અભ્યાસ પસંદ નથી, તેઓ વર્ગખંડમાં હાજરી આપવા માગે છે જે ભવિષ્યમાં ભારતમાં શક્ય બનશે નહીં. મારા બાળકોની બોડી લેંગ્વેજ બદલાઈ ગઈ છે. ઓનલાઈન શિક્ષણ એ નથી જે તમે વર્ગખંડમાં મેળવો છો.”

દુબઈ જતી વખતે તેણે એમ પણ કહ્યું હતું કે “મારી ભત્રીજી ત્યાં રહે છે અને મારી પાસે એક સારી સંભાળ રાખનાર પણ છે, તેથી જ્યારે પણ મારે કામ માટે ભારત જવાનું થાય અથવા નવાઝને મળવા જવું હોય તો કોઈ સમસ્યા ન થાય.”

entertainment news bollywood news nawazuddin siddiqui