મારા પૉલિટિકલ નૉલેજમાં તાંડવને લીધે ખૂબ વધારો થયો છે : અમાયરા દસ્તૂર

19 February, 2020 11:04 AM IST  |  Mumbai

મારા પૉલિટિકલ નૉલેજમાં તાંડવને લીધે ખૂબ વધારો થયો છે : અમાયરા દસ્તૂર

અમાયરા દસ્તૂર

વેબ-સિરીઝ ‘તાંડવ’ને કારણે અમાયરા દસ્તૂરના પૉલિટિકલ નૉલેજમાં ખૂબ જ વધારો થયો છે. ઍમેઝોન પ્રાઇમ વિડિયોની આ વેબ-સિરીઝમાં તેની સાથે સૈફ અલી ખાન, સુનીલ ગ્રોવર, ગૌહર ખાન અને ઝીશાન અય્યુબ જોવા મળશે. અલી અબ્બાસ ઝફરની આ સિરીઝ પૉલિટિકલ થ્રિલર છે. આ વેબ-સિરીઝ વિશે અમાયરાએ કહ્યું હતું કે ‘હા હું અલી અબ્બાસ ઝફરની આ પૉલિટિકલ થ્રિલરમાં કામ કરી રહી છું. એની સ્ક્રિપ્ટ અદ્ભુત હોવાથી હું એની તરફ આકર્ષાઇ છું. સૈફ સૌથી ઉમદા ઍક્ટર છે અને જે પ્રકારનું કામ તે કરે છે એનાંથી આપણી ઓળખ વિશ્વ સ્તરે થાય છે. સૈફ સિવાય શોમાં સુનીલ ગ્રોવર, ગૌહર ખાન અને ઝીશાન અય્યુબ કામ કરી રહ્યા છે. સ્ટોરી મનોરંજક હોવાથી મેં એને હા પાડી છે.’

આ શોની ઑફર કઈ રીતે મળી એ વિશે જણાવતાં અમાયરાએ કહ્યું હતું કે ‘મને અલી સરની ટીમે કૉલ કર્યો હતો અને હું ખૂબ જ ઉત્સાહિત થઈ ઉઠી હતી. બાદમાં મને જાણ થઈ કે તેમણે સ્ટોરી પણ લખી છે. સ્ટોરી રાજકારણ પર આધારિત છે અને એમાં દરેકને અગત્યનો રોલ આપવામાં આવ્યો છે. વર્તમાનમાં આપણી આસપાસ જે પણ ઘટે છે અને રાજકારણમાં જે પણ ખેલ ખેલાય છે એનાં પર જ દરેકની નજર મંડાયેલી છે. આ શોનાં કારણે જ રાજકારણનું મારું જ્ઞાન વધી ગયુ છે. મેં આ શોની સીઝનના બધા એપિસોડ વાંચી નાખી છે, કારણ કે હું એવી વ્યક્તિ નથી કે જેને માત્ર પોતાનું જ પાત્ર વાંચવામાં રસ હોય. મને આવા શો ખૂબ જ પસંદ છે, કારણ કે લોકો માત્ર તમારા કૅરૅક્ટર્સને જ નથી યાદ રાખતા, પરંતુ આખા શોને યાદ રાખે છે.’

amyra dastur bollywood news entertaintment