ઇન્દિરા જયસિંહ સાથે કંગના રનોટનો પંગા

02 March, 2020 06:28 PM IST  |  Mumbai

ઇન્દિરા જયસિંહ સાથે કંગના રનોટનો પંગા

કંગના રનોટ અને રિચા ચઢ્ઢા ગઈ કાલે જુહુમાં ‘પંગા’ના પ્રમોશન માટે હાજર રહી હતી. તસવીર : સમીર માર્કંડે

સિનિયર વકીલ ઇન્દિરા જયસિંહે તાજેતરમાં જ નિર્ભયાની માતાને તેના હત્યારાઓને માફી આપવામાં આવે એવી અપીલ કરી હતી. એને લઈને કંગના રનોટે એ વકીલને એ આરોપીઓ સાથે જેલમાં બંધ કરવાની વાત કહી છે. કંગના તેની ‘પંગા’ના પ્રમોશનમાં હાજર હતી. એ દરમ્યાન ઇન્દિરા જયસિંહ પર પ્રહાર કરતાં કંગના રનોટે કહ્યું હતું કે ‘એ મહિલા (ઇન્દિરા જયસિંહ)ને એ આરોપીઓ સાથે ચાર દિવસ માટે જેલમાં બંધ કરવી જોઈએ. આવી મહિલાઓ જ રાક્ષસો અને હત્યારાઓને જન્મ આપે છે. પહેલી વાત તો એ જણાવી દઉં કે જે લોકો બળાત્કાર જેવા ઘૃણાસ્પદ અપરાધ કરે છે તે લોકો માઇનર્સ ન કહેવાય. આવા લોકોને તો ફાંસી આપવી જોઈએ. નિર્ભયાના પેરન્ટ્સ ઘણાં વર્ષોથી લાઇફના ખૂબ જ કપરા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેઓ હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે સતત ધક્કા ખાઈ રહ્યા છે.’

kangana ranaut bollywood news entertaintment