પોતાની સ્કૂલના ટીચર્સ અને જુનિયર્સ સાથે વાત કરીને ખુશ થઈ ઊઠી માનુષી

12 May, 2020 08:14 PM IST  |  Mumbai Desk | Agencies

પોતાની સ્કૂલના ટીચર્સ અને જુનિયર્સ સાથે વાત કરીને ખુશ થઈ ઊઠી માનુષી

માનુષી છિલ્લર

માનુષી છિલ્લર નવી દિલ્હીની તેની સ્કૂલના ટીચર્સ અને જુનિયર્સ સાથે વર્ચ્યુઅલી વિવિધ વિષય પર ચર્ચા કરીને ખુશ થઈ ગઈ હતી. લૉકડાઉન હોવાને કારણે તે અગિયારમા અને બારમા સાયન્સના સ્ટુડન્ટ્સ સાથે વર્ચ્યુઅલી કનેક્ટ થઈ હતી. અક્ષયકુમાર સાથેની ‘પૃથ્વીરાજ’ દ્વારા માનુષી બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે. ટીચર્સને જોઈને પોતાની લાગણી વ્યક્ત કરતાં માનુષીએ કહ્યું હતું કે ‘આજે મારી સ્કૂલના ટીચર્સને જોઈને અને મારા જુનિયર્સ સાથે ચર્ચા કરીને ખૂબ સારું લાગ્યું હતું. એ ખરેખર આહલાદક અનુભવ હતો. જો હાલમાં કોરોનાનું જોખમ ન હોત તો હું ચોક્કસ પર્સનલી ત્યાં ગઈ હોત. હું મારી સ્કૂલને અને ટીચર્સને ખૂબ પ્રેમ કરું છું. તેમણે મારા જીવનને આકાર આપ્યો છે. મારા આવનારા સમયને માણવાલાયક અને ભવ્ય બનાવવા માટે હું હંમેશાં તેમની ઋણી રહીશ. તેમની સાથે વાત કરીને મને મારી સ્કૂલની ખૂબ યાદ આવી ગઈ છે. સપનાઓને પૂરા કરવા માટે કદી પણ હાર ન માનવી જોઈએ, પછી ભલે લાઇફમાં કંઈ પણ સંકટ આવે. આ આપણાં બધા માટે લાગુ પડે છે. ખાસ કરીને આજે, જ્યારે લૉકડાઉન છે પરંતુ આગળ વધવુ જરૂરી છે. ક્યારે પણ પાછીપાની ન કરવી જોઈએ.’

manushi chhillar bollywood bollywood news bollywood gossips