મનોજ બાજપાઈને નથી કરવો રિચા ચઢ્ઢાના પિતાનો રોલ

14 October, 2014 04:57 AM IST  | 

મનોજ બાજપાઈને નથી કરવો રિચા ચઢ્ઢાના પિતાનો રોલ

રિચા સાથે પોતાની છેલ્લી ફિલ્મમાં જ તેના પતિનો રોલ કર્યો હોવાને કારણે મનોજ આ ફિલ્મમાં તેના પિતાનો રોલ કરવા તૈયાર નથી જેને કારણે તેણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. જોકે એમ સાંભળવા મળ્યું છે કે આ ફિલ્મમાં કામ કરવાની મનોજની તો ઘણી ઇચ્છા છે, પણ બીજી ફિલ્મો સાથે તારીખો નડી રહી હોવાને કારણે તે અનુરાગ કશ્યપના આ પ્રોજેક્ટનો ભાગ નહીં બની શકે. બીજી બાજુ મનોજને આ ફિલ્મમાં લેવા માટે ફિલ્મમેકરોએ ઘણા પ્રયત્નો કરેલા, પણ મનોજ ટસથી મસ ન થયો.