મનીષા કોઇરાલા બનશે નર્ગિસ

09 February, 2017 05:16 AM IST  | 

મનીષા કોઇરાલા બનશે નર્ગિસ

આ ફિલ્મનું શૂટિંગ હાલમાં પુરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં રણબીર કપૂર સંજુબાબાનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં સંજય દત્તની પત્ની માન્યતાનું પાત્ર દિયા મર્ઝિા, તેના અમેરિકામાં રહેનાર મિત્રનું પાત્ર વિકી કૌશલ, તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનું પાત્ર સોનમ કપૂર, જર્નલિસ્ટનું પાત્ર અનુષ્કા શર્મા, સુનીલ દત્તનું પાત્ર પરેશ રાવલ અને નર્ગિસનું પાત્ર મનીષા ભજવશે. આ વિશે રાજકુમાર હીરાણી કહે છે, ‘હા, મનીષા સંજય દત્તની બાયોપિકમાં નર્ગિસજીનું પાત્ર ભજવી રહી છે. તે ખૂબ જ સારી ઍક્ટ્રેસ છે. મનીષાને આ ફિલ્મમાં પસંદ કરવાનું મારું પહેલું કારણ છે તેણે કૅન્સર સામે જીત મેળવી છે અને તેથી જ તે નર્ગિસજીની કૅન્સર સામેની લડતને યોગ્ય ન્યાય આપી શકશે.’