કંગના રનોટે કેમ એવું કહ્યું કે મૈં ઇનકી વાટ લગા દૂંગી

09 February, 2019 09:27 AM IST  | 

કંગના રનોટે કેમ એવું કહ્યું કે મૈં ઇનકી વાટ લગા દૂંગી

‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’

કંગના રનોટનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં લોકો તેના વિરુદ્ધ ભેગા થઈ ગયા છે. કંગનાએ ગુરુવારે સ્કૂલનાં બાળકો માટે ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખ્યું હતું. આ ઇવેન્ટમાં બૉલીવુડની સેલિબ્રિટીઝ વિશે કંગનાએ કહ્યું હતું કે ‘એક ક્લાસમાં બાળકો ભેગાં થઈને એક બાળકને ટાર્ગેટ કરે તો કેવું લાગશે? આ લોકોને કોઈ શરમ નથી. મારે એ લોકો સાથે કામ નથી કરવું અને મેં તેમના મોં પર એ કહ્યું હતું. કેટલીક સેલિબ્રિટીઝ તો મારા પપ્પાની ઉંમરની છે. સ્ત્રીઓ સાથે અમુક પ્રકારનું વર્તન કરવું, સગાવાદ અને પૈસાને લઈને જે તફાવત છે એ વિશે મેં જે-તે વ્યક્તિ વિશે અહીં-તહીં વાત પણ કરી હતી. જોકે હવે હું તેમને નહીં છોડું. હું તેમને એક્સપોઝ કરીને રહીશ. મારા વિરુદ્ધ એક થઈને તેમણે આફતને આમંત્રણ આપ્યું છે. મૈં ઉનકી વાટ લગા દૂંગી.’

સેલિબ્રિટીઝ દ્વારા મણિકર્ણિકાને પ્રમોટ કરવામાં ન આવી હોવાથી કંગના નારાજ

‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ને બૉલીવુડ દ્વારા પ્રમોટ કરવામાં ન આવી હોવાથી કંગના નારાજ છે. સેલિબ્રિટીઝે તેની ફિલ્મને પ્રમોટ કરી હોત તો એનાથી તેને કોઈ ફાયદો થયો હોત? આ સવાલનો જવાબ આપતાં કંગનાએ કહ્યું હતું કે ‘એનાથી મને કેવી રીતે ફાયદો થવાનો? મને પહેલેથી જ ત્રણ નૅશનલ અવૉડ્ર્સ મળી ચૂક્યા છે. ૩૧ વર્ષની ઉંમરે હું ફિલ્મમેકર બની ગઈ છું. આથી તેઓ કેવી રીતે મને પ્રમોટ કરે? તેઓ એકબીજાને પ્રમોટ કરે એ પૂરતું છે.’

આ પણ વાંચો : મને સફળતા અઘરી ફિલ્મોની પસંદગીમાંથી મળી છે : શાહિદ

જોકે ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ને પ્રમોટ ન કરવામાં આવી હોવાથી એ વિશે નારાજગી વ્યક્ત કરતાં કંગનાએ કહ્યું હતું કે ‘ઝાંસીની રાણી કોણ હતી? શું તે મારી આન્ટી હતી? તે જેટલી મારી છે એટલી જ તમારી પણ છે. તો આ લોકો શું કામ ડરતા હશે? હું સગાવાદ વિશે વાત કરું છું એટલે? આ બધા લોકોએ મારા વિરુદ્ધ ગૅન્ગ બનાવી છે.’

kangana ranaut bollywood news