મને દુ:ખ છે કે હું ૨૪ની બીજી સીઝનનો હિસ્સો નહીં બની શકું : મંદિરા

26 September, 2015 03:34 AM IST  | 

મને દુ:ખ છે કે હું ૨૪ની બીજી સીઝનનો હિસ્સો નહીં બની શકું : મંદિરા




હૉલીવુડની ટીવી-સિરિયલ ‘૨૪’ પરથી ભારતમાં પણ એનું ઇન્ડિયન વર્ઝન ‘૨૪’ બનાવવામાં આવ્યું હતું અને આ શોની ભારતની બીજી સીઝનમાં મંદિરા બેદી જોવા નહીં મળે. આ શોમાં અનિલ કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને એમાં મંદિરાએ પણ રૉની એજન્ટનું પાત્ર ભજવ્યું હતું. આ શોની બીજી સીઝનની તૈયારી ચાલી રહી છે ત્યારે એમાંથી મંદિરાનું પાત્ર કાપી નાખવામાં આવ્યું છે.

‘૨૪’ની બીજી સીઝનને થોડી ફાસ્ટ-ફૉર્વર્ડ કરવામાં આવી રહી છે એટલે કે આ શોની બીજી સીઝનને હૉલીવુડની ‘૨૪’ની ત્રીજી સીઝન પરથી બનાવવામાં આવી રહી છે એટલે કે એની બીજી સીઝનને ભારતમાં ફાસ્ટ-ફોર્વર્ડ કરવામાં આવી છે એથી મંદિરાનો રોલ આ સીઝનમાંથી કાઢી નાખવામાં આવ્યો છે. એ વિશે મંદિરા કહે છે, ‘હું ‘૨૪’ની નવી સીઝનમાં નથી, કારણ કે તેઓએ આ સીઝનને ફાસ્ટ-ફૉર્વર્ડ કરી દીધી છે અને હૉલીવુડની ત્રીજી સીઝનને ભારતમાં બીજી સીઝનમાં રજૂ કરી રહ્યા છે એથી મારા પાત્રનો એમાં કોઈ રોલ જ નથી. મને એ વાતનું ખૂબ દુ:ખ થઈ રહ્યું છે. મને આ પાત્ર ભજવવાનું ખૂબ ગમતું હતું અને મેં આજ સુધી ભજવેલાં તમામ પાત્રોમાં એ મારું પસંદીદા પાત્ર હતું.’

મંદિરા આ શોમાં ન હોવાથી તેણે અન્ય શોની ઑફર સ્વીકારી લીધી છે. તે કહે છે, ‘હું હવે ઝી ટીવીના એક નવા શોમાં કામ કરી રહી છું અને મેં એ માટેનું શૂટિંગ શરૂ પણ કરી દીધું છે. એ સિવાય મને એક ફિક્શન શોની ઑફર કરવામાં આવી છે. જો મારી પાસે સમય હશે તો એ શો માટે પણ હું નવેમ્બરમાં શૂટિંગ શરૂ કરીશ. હું હાલમાં જે શોનું શૂટિંગ કરી રહી છું એ એક રિયલિટી શો છે જેમાં હું એક સ્પર્ધક તરીકે ભાગ લઈ રહી છું.’