અર્જુન સાથેના બ્રેકઅપ પછી મલાઇકાએ કરાવેલા ટૅટૂનો અર્થ છે ખાસ

05 April, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે જીવનના મહત્ત્વના વળાંકોની યાદગીરી તરીકે શરીર પર ટૅટૂ કરાવતી હોય છે

મલાઇકાએ આ ટૅટૂ અર્જૂન કપૂર સાથેના બ્રેકઅપ પછી બનાવડાવ્યું છે

હાલમાં એક જાહેર ફંક્શનમાં મલાઇકા અરોરાના નવા ટૅટૂએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. મલાઇકાએ આ ટૅટૂ અર્જૂન કપૂર સાથેના બ્રેકઅપ પછી બનાવડાવ્યું છે.

આ ટૅટૂ વિશે વાત કરતાં મલાઇકાએ કહ્યું, ‘મારું આ ટૅટૂ ગહન અર્થ ધરાવે છે. મેં માત્ર કરાવવા માટે નથી કરાવ્યું પણ મેં મારા જિંદગીના એક મહત્ત્વના વળાંક પર એ કરાવવાનો નિર્ણય લીધો હતો. મારા માટે ૨૦૨૪ના વર્ષમાં ‘સબર’ અને ‘શુકર’નું ખાસ મહત્ત્વ હતું અને એટલે જ મેં આ શબ્દનું ટૅટૂ કરાવ્યું છે. આ શબ્દોએ મને આજે હું જે જગ્યાએ છું એ જગ્યાએ પહોંચવાની પ્રેરણા આપી છે. હું ગયા વર્ષે જે જગ્યાએ હતી એ જગ્યા કરતાં ઘણી આગળ વધી ચૂકી છું.’

સામાન્ય રીતે મલાઇકા જીવનના મહત્ત્વના વળાંકોની યાદગીરી તરીકે શરીર પર ટૅટૂ કરાવતી હોય છે. મલાઇકાએ જણાવ્યું હતું કે તેણે આ પહેલાં આઠ વર્ષ પૂર્વે જ્યારે અરબાઝ ખાન સાથે ડિવૉર્સ લીધા હતા ત્યારે ત્રણ ઊડતાં પંખીઓનું ટૅટૂ બનાવડાવીને નવા આઝાદ જીવનની શરૂઆત કરી હતી.

malaika arora arjun kapoor relationships bollywood bollywood news bollywood buzz entertainment news