દિલદાર અક્કી

08 November, 2011 08:48 PM IST  | 

દિલદાર અક્કી



અક્ષયકુમાર ૨૦૦૯થી શરૂ થયેલી ચાર દિવસ ચાલતી કરાટેની સ્પર્ધા સાથે સંકળાયેલો છે. આ વખતે તે સરૂપા નામની એક સ્પર્ધકથી બહુ પ્રભાવિત થયો હતો. તેને જ્યારે ખબર પડી કે સરૂપા નર્વિાહ માટે ઘરકામ કરે છે ત્યારે તેણે પોતાની દિલદારી દેખાડી હતી અને સરૂપાને એક લાખ રૂપિયાનું રોકડ ઇનામ તથા જપાનમાં યોજાનારી આગામી સ્પર્ધામાં ભાગ લેવા માટે ટોક્યોની ટિકિટ આપી હતી.

આ મુદ્દે વાત કરતાં અક્કીની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘અક્ષયે ટુર્નામેન્ટના દિવસે સરૂપા વિશે સાંભળ્યું હતું. સરૂપા નૅશનલ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગઈ હતી, પણ અક્ષયને લાગ્યું હતું કે ફાઇનલ સુધી પહોંચવા તેણે ભારે અવરોધોનો સામનો કર્યો હતો. આ કારણે અક્ષયે તેને મદદ કરી હતી. સરૂપાને ઇનામ આપતી વખતે અક્ષયની આંખમાં પાણી આવી ગયાં હતાં.’