મહારાષ્ટ્ર સરકારે સ્કૂલ-ફીના મામલે ઉદાર વલણ દાખવવું જોઈએ : રોનિત રૉય

20 June, 2020 09:23 PM IST  |  Mumbai | Agencies

મહારાષ્ટ્ર સરકારે સ્કૂલ-ફીના મામલે ઉદાર વલણ દાખવવું જોઈએ : રોનિત રૉય

રોનિત રૉય

રોનિત રૉયનું કહેવું છે કે મહારાષ્ટ્ર સરકારે સ્કૂલ-ફી માટે થોડી રાહત આપવી જોઈએ. લૉકડાઉનને કારણે લોકોના રોજગાર છીનવાઈ ગયા છે. પરિવારનું ભરણપોષણ કેમ કરવુ એ સવાલ ઊભો થયો છે. સરકારને વિનંતી કરતાં ટ્વિટર પર રોનિત રૉયે ટ્વીટ કર્યું હતું, ‘નો વર્ક, નો બિઝનેસ, નો સેલ્સ, નો જૉબ્સ, નો ઇન્કમ. એવામાં હવે સ્કૂલ-ફી ભરવાનો સમય આવી ગયો છે (જે લાખો રૂપિયામાં હોય છે). હું મુખ્ય પ્રધાનની ઑફિસને વિનમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે આ દિશામાં ધ્યાન આપે. જો છૂટ ન આપવામાં આવે તો કાંઈ નહીં,  થોડી ઘણી રાહત આપવી જોઈએ. ઇન્ટરેસ્ટ વગરના પેમેન્ટ-પ્લાનથી દરેકને ઘણી ખરી મદદ મળી જશે.’

bollywood bollywood news bollywood gossips ronit roy