કુણાલે છૂટાછેડાની વાતને ફગાવી દેતાં કહ્યું...

17 April, 2016 05:38 AM IST  | 

કુણાલે છૂટાછેડાની વાતને ફગાવી દેતાં કહ્યું...



કુણાલ ખેમુ તેની પત્ની સોહા અલી ખાન સાથે છૂટાછેડા લઈ રહ્યો છે એવી વાતે હાલમાં ભારે જોર પકડ્યું છે, પરંતુ કુણાલે આ વાતને ફગાવી દીધી છે. કુણાલે આ વિશે ખુલાસો આપતાં ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘શું? મારું લગ્નજીવન મુસીબતમાં છે? હું કેમ છૂટાછેડા લઈ રહ્યો છું? હું કોઈ જુદી દુનિયામાં જીવી રહ્યો છું કે પછી લોકો આવી વાહિયાત વાતો છાપી રહ્યા છે. એક બાર જો મૈંને કમિટમેન્ટ દે દી તો ફિર મૈં પ્રેસ કી ભી નહીં સુનતા.’

સોહાએ પણ આ વાતને ફગાવી દેતાં કુણાલના ટ્વીટને ફરી ટ્વીટ કર્યું હતું. કુણાલ અને સોહાએ ૨૦૧૪ના જુલાઈમાં પૅરિસમાં સગાઈ કરી હતી અને તેમણે ૨૦૧૫ના જાન્યુઆરીમાં મુંબઈમાં લગ્ન કર્યાં હતાં.