ફિલ્મ રિવ્યુ છોડવાની જાહેરાત બાદ KRKનું બીજું ટ્વીટ, કહ્યું- મારી પાસે બે જ વિકલ્પ…

26 September, 2022 04:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેઆરકેએ સોમવારે સવારે એક ટ્વીટ કર્યું અને તેના દ્વારા ફરી એકવાર બોલિવૂડ પર નિશાન સાધ્યું

ફાઇલ તસવીર

કમાલ રશીદ ખાન ઉર્ફે કેઆરકે, જે હંમેશા તેના ટ્વિટ્સ માટે સમાચારમાં રહે છે, તેણે તાજેતરમાં સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કરી કે તે ફિલ્મોની સમીક્ષા કરવાનું છોડી રહ્યો છે. હૃતિક રોશન અને સૈફ અલી ખાનની આગામી ફિલ્મ `વિક્રમ વેધા` પછી તે કોઈ ફિલ્મની સમીક્ષા કરશે નહીં. આ દરમિયાન, તેમનું બીજું ટ્વીટ સામે આવ્યું છે, જેમાં તે કહી રહ્યા છે કે તેની પાસે ફક્ત બે જ વિકલ્પ હતા.

કેઆરકેએ સોમવારે સવારે એક ટ્વીટ કર્યું અને તેના દ્વારા ફરી એકવાર બોલિવૂડ પર નિશાન સાધ્યું. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, “મારી પાસે માત્ર બે જ વિકલ્પ હતા. પહેલું કે મારે મુંબઈ છોડી દેવું જોઈએ અને બીજું મારે ફિલ્મોની સમીક્ષા કરવાનું બંધ કરવું જોઈએ. તેથી મેં બીજો વિકલ્પ પસંદ કર્યો. કારણ કે મારા પર ખોટા કેસ કરવા માટે બૉલિવૂડના લોકોનું મુંબઈમાં ઘણું રાજકીય સમર્થન છે.”

લોકોએ આવી પ્રતિક્રિયાઓ આપી

જોકે, KRKનું આ ટ્વીટ પણ ખૂબ ચર્ચામાં રહ્યું છે. તે જ સમયે, આના પર લોકોની પ્રતિક્રિયાઓ ઉગ્ર રીતે સામે આવી રહી છે. કેટલાક તેને ફિલ્મોની સમીક્ષા કરવાનું ચાલુ રાખવા માટે કહી રહ્યા છે, જ્યારે ઘણા તેને મુંબઈ છોડીને દિલ્હી શિફ્ટ થવાની સલાહ આપી રહ્યા છે. તો એવા ઘણા યુઝર્સ પણ હતા જેઓ KRKના આ નિર્ણયથી ખુશ દેખાઈ રહ્યા છે.

આ લોકોનો માણ્યો આભાર

નોંધનીય છે કે તેના છેલ્લા ટ્વીટમાં, ફિલ્મોના રિવ્યુ છોડવાની જાહેરાત સાથે, KRKએ લખ્યું કે, "તેઓનો આભાર કે જેમણે મારા રિવ્યુ પર વિશ્વાસ કર્યો અને મને બોલિવૂડના ઇતિહાસમાં સૌથી મોટો ફિલ્મ સમીક્ષક બનાવ્યો." તે જ સમયે, તેણે બૉલિવૂડ પર વધુ કટાક્ષ કર્યો અને કહ્યું કે, "બોલિવૂડના લોકોનો પણ આભાર કે જેમણે મને ટીકાકાર તરીકે સ્વીકાર્યો નહીં અને મારા પર ઘણા ગંભીર કેસ કર્યા."

entertainment news bollywood news krk