મલેરિયામાંથી બહાર આવ્યા બાદ કામ કરવું અઘરું લાગે છે ક્રિતી ખરબંદાને

01 January, 2021 01:55 PM IST  |  Mumbai | Agency

મલેરિયામાંથી બહાર આવ્યા બાદ કામ કરવું અઘરું લાગે છે ક્રિતી ખરબંદાને

ક્રિતી ખરબંદા

ક્રિતી ખરબંદાને મલેરિયામાંથી સ્વસ્થ થયા બાદ ફરીથી કામ શરૂ કરવામાં મુશ્કેલી પડી રહી છે. તેને વીકનેસ, મૂડ સ્વિંગ્સ અને અન્ય સાઇડ ઇફેક્ટ્સ થઈ રહી છે. તે વિક્રાન્ત મેસીની સાથે ‘14 ફેરે’માં જોવા મળવાની છે. જિમમાં એક્સરસાઇઝ કરતી નાનકડી ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ક્રિતીએ કૅપ્શન આપી હતી કે ‘મલેરિયામાંથી ઠીક થયા બાદ ફરીથી કામ શરૂ કરવું સરળ નથી. વીકનેસ, સિસ્ટમમાં પરિવર્તન, ભારે દવાઓ અને મૂડ સ્વિંગ્સ થઈ રહ્યા છે. આમ છતાં કરવું પડે છે. વર્ચ્યુઅલ વર્કઆઉટ્સ કરી રહી છું. આ દ્વારા હું આગળ વધી રહી છું અને મને પ્રોત્સાહન મળી રહ્યું છે. કામ શરૂ કરતાં પહેલાં પૂરી રીતે રિકવર થવું જરૂરી છે. જોકે એ સારી વાત નથી, પરંતુ શો તો આગળ ચાલવો જરૂરી છે. 2021, તું સારું સાબિત થજે.’

kriti kharbanda bollywood bollywood news