03 November, 2019 11:44 AM IST | મુંબઈ
રણબીર કપૂર
મુંબઈ : કાર્તિક આર્યનનું કહેવું છે કે તેને રણબીર કપૂરની ફિલ્મોની ચૉઇસને લઈને ઇર્ષ્યા થાય છે. કાર્તિક પાસે આમ તો સારા પ્રોજેક્ટસ છે. તે ‘પતિ, પત્ની ઔર વો’, ‘ભૂલભુલૈયા 2’ અને ‘દોસ્તાના 2’માં પણ જોવા મળવાનો છે. આમ છતાં, તેને ઇન્ડસ્ટ્રીમાં કોઈ તો એવું છે જેનાથી ઇર્ષ્યા થાય છે. આ વિશે જણાવતાં કાર્તિકે કહ્યું હતું કે ‘અમે બધા ફિલ્મોમાં કામ કરી રહ્યાં છીએ. અમે બધા સખત મહેનતમાં ભરોસો કરીએ છીએ. એ એક સામાન્ય બાબત છે જે સૌને એકતાંતણે બાંધી રાખે છે. અમારી જર્નીમાં એક તફાવત પણ છે, અમે એકબીજાને સારું કામ કરવા માટે પ્રેરણા પણ આપીએ છીએ. રણબીર કપૂર એક એવો ઍક્ટર છે જેનું કામ અદ્ભુત છે. તેની ફિલ્મોની પસંદગીની મને ઇર્ષ્યા થાય છે.’