જાણો કેમ ઈરફાન ખાનને એરપોર્ટ પર લેવો પડ્યો વ્હીલચેરનો સહારો

15 September, 2019 08:01 AM IST  |  મુંબઈ

જાણો કેમ ઈરફાન ખાનને એરપોર્ટ પર લેવો પડ્યો વ્હીલચેરનો સહારો

તસવીર સૌજન્યઃ યોગેન શાહ

શુક્રવાર, ઈરફન ખાન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. તેઓ પોતાની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું શૂટિંગ પૂર્ણ કરીને પાછા આવ્યા હતા. જે 2017માં આવેલી ફિલ્મ હિન્દી મીડિયમની સિક્વલ છે. એરપોર્ટ પર તેઓ વ્હીલચેર પર જોવા મળ્યા. જેના કારણે તેના ચાહકો ચિંતામાં જોવા મળ્યા હતા.

ઈરફાનના ચાહકોની ચિંતા જોતા અભિનેતાના પ્રવક્તાએ કહ્યું કે, ઈરફાન ખાનની અંગ્રેજી મીડિયમનું શૂટિંગ પૂર્ણ થયા બાદ સફળ સર્જરી કરવામાં આવી છે. તેમને ઘરની યાદ આવતી હતી જેથી તેઓ થોડા દિવસો માટે મુંબઈ આવ્યા છે. અમે મીડિયાને વિનંતી કરીએ છે કે તેઓ કોઈ અનુમાન ન લગાવે. અને સહયોગ માટે તમામનો આભાર માનીએ છે.

માર્ચ 2018માં ઈરફાન ખાને તેમને ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમર હોવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ વિદેશ સારવાર માટે જઈ રહ્યા છે. તેઓ ફેબ્રુઆરીમાં દેશ પાછા ફર્યા હતા. અને સોશિયલ મીડિયા પરથી તેના ચાહકો અને શુભેચ્છકોનો આભાર માન્ય હતો.

irrfan khan