પાણી બચાવવાના કૅમ્પેન માટે આમિર મરાઠી શોમાં દેખાશે

07 April, 2017 05:38 AM IST  | 

પાણી બચાવવાના કૅમ્પેન માટે આમિર મરાઠી શોમાં દેખાશે

આમિરે ગઈ કાલે ટ્વિટર પર એક વિડિયો શૅર કર્યો હતો જે મરાઠી શો ‘તૂફાન આલંયા’નું ટીઝર હતું. આમિરે મહારાષ્ટ્રમાં પાણીના દુકાળને લઈને શરૂ કરેલા કૅમ્પેનને લગતો આ શો તૈયાર કરવામાં આવ્યો છે. આ શોમાં શું હશે એ હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યું. જોકે આમિરે રજૂ કરેલા ટીઝરમાં ત્રણ ટીમ દર્શાવવામાં આવી છે. આ દરેક ટીમમાં મરાઠી ફિલ્મોની સેલિબ્રિટીઝની જોડી જોવા મળી રહી છે. વિદર્ભ યોદ્ધા ટીમમાં ભરત ગણેશપુરે અને અમૃતા દાતે, મરાઠવાડા વીર ટીમમાં ગિરીશ કુલકર્ણી અને પ્રતીક્ષા લોનકર તેમ જ પશ્રિમ મહારાષ્ટ્રચે માવળે ટીમમાં સુનીલ બર્વે અને સઈ તામ્હણકર જોવા મળી રહ્યાં છે.