06 May, 2019 06:52 PM IST |
ફાઈલ ફોટો
બોલીવૂડ સ્ટાર કેટરિના એવા ઘણા ઓછા સ્ટાર્સમાંથી એક છે જેમણે સોશિયલ મીડિયા પર એન્ટ્રી મોડી કરી હોય. કેટરીનાએ વર્ષ 2017માં ઈન્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું હતું. આ અઢી વર્ષોમાં કેટરીનાના ફોલોવર્સની સંખ્યા વધીને 21 મિલિયન સુધી પહોંચી ગઈ છે. જો કે કેટરીનાને ઈન્ટાગ્રામ પર લાવવાનો સંપૂર્ણ શ્રેય જાય છે રણબીર કપૂરને.
ઘણા ઓછા લોકોને ખબર છે કે કેટરીનાએ ઈન્ટાગ્રામ પર એન્ટ્રી રણબીર કપૂરના કહેવાથી કરી હતી. આ વાતને કેટરીનાએ હવે જાહેરમાં સ્વીકારી છે. કેટરીનાએ હાલમાં જ અરબાઝ ખાનના ચેટ શૉમાં હાજરી આપી હતી જેમાં આ વાત સ્વીકારી હતી. અરબાઝ ખાને શૉ દરમિયાન પૂછ્યું હતું કે, એવુ કોઈનું ફૅક એકાઉન્ટ જે તમને સ્ટોક કરતું હોય જવાબ આપતા કેટરિનાએ કહ્યું હતું કે, કોઈ નહી પછી કહ્યું હતું કે તેમને ખબર છે કે રણબીરનું ફૅક એકાઉન્ટ છે. રણબીરે જ મને ઈન્ટાગ્રામ ચલાવતા શીખવાડ્યું હતું.
રણબીર અને કેટરીના 7 વર્ષ સુધી રિલેશનમાં રહ્યા હતાં. 7 વર્ષની લાંબી રિલેશનશીપ પછી 2016માં બન્ને અલગ થયા હતા જો કે આ વાતને હવે અઢી વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને બન્ને બ્રેકઅપથી બહાર આવી ગયા છે. હાલ રણબીર આલિયાને ડેટ કરી રહ્યો છે. હમણા જ રણબીર અને કેટરીના લાંબા સમય પછી એકબીજાને એક ઈવેન્ટમાં મળ્યા હતા અને એકબીજાને ગળે લગાડી છૂટા પડ્યા હતા.