દોસ્તાના 2નું શૂટિંગ શરૂ કરતાં પહેલાં કરણના આશીર્વાદ લીધા કાર્તિકે

10 November, 2019 08:56 AM IST  |  Mumbai

દોસ્તાના 2નું શૂટિંગ શરૂ કરતાં પહેલાં કરણના આશીર્વાદ લીધા કાર્તિકે

કરણના આશીર્વાદ લેતો કાર્તિક

કાર્તિક આર્યને ‘દોસ્તાના 2’નું શૂટિંગ શરૂ કરતા પહેલા કરણ જોહરનાં આશિર્વાદ લીધા છે. તેનું કહેવું છે કે તેણે ધર્મા રિવાઝનું પાલન કર્યું છે. આ ફિલ્મ ‘દોસ્તાના’ની સીક્વલ છે. પહેલી ફિલ્મમાં અભિષેક બચ્ચન, જૉન એબ્રાહમ અને પ્રિયંકા ચોપડા જોનસ જોવા મળ્યાં હતાં. ‘દોસ્તાના 2’માં કાર્તિકની સાથે જાહ્‍નવી કપૂર અને નવોદિત કલાકાર લક્ષ્ય પણ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ચંડીગઢમાં શરૂ કરતા પહેલા કાર્તિકે કરણ જોહરનાં આશીર્વાદ લીધા હતાં. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘મા દા લાડલા ચંડીગઢ નિકલ ગયા. આ એક ધર્મા રિવાઝ છે. ધર્માની ફિલ્મમાં કામ શરૂ કરતા પહેલા દરેક કલાકારોને આ પરંપરાનું પાલન કરવુ પડે છે.’ આ ફોટો પર કરણ જોહરે કૅપ્શન આપી હતી કે ‘હાહા. એકદમ ખોટી વાત છે. મને ઉંમરલાયક વ્યક્તિ બનાવવાનું બંધ કર.’

karan johar kartik aaryan