`જો ફિલ્મો નહીં હોય તો...` બૉયકૉટ બૉલિવૂડ ટ્રેંડ પર કરીના કપૂરનું નિવેદન

23 January, 2023 04:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મ બહિષ્કારના વધતા વલણ પર કરીના કપૂર(Kareena Kapoor)એ પ્રતિક્રિયા આપી હતી. તેણીએ કહ્યું કે હું આની સાથે સહમત નથી, જો ફિલ્મો જ નહીં હોય તો પછી....

કરીના કપૂર

બૉલિવૂડ સુપરસ્ટાર કરીના કપૂર(Kareena Kapoor)એ રવિવારે ફિલ્મ બહિષ્કારના વધતા વલણ પર (Boycott Bollywood Trend) પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, `હું આ સાથે બિલકુલ સહમત નથી. કોલકાતામાં એક કાર્યક્રમમાં બોલતા, તેણે કહ્યું કે જો આવું થશે, તો અમે કેવી રીતે મનોરંજન કરીશું, તમારા જીવનમાં આનંદ અને ખુશી કેવી રીતે આવશે, જે મને લાગે છે કે દરેકને જરૂર છે. ફિલ્મો નહીં હોય તો મનોરંજન કેવી રીતે થશે? શાહરૂખ ખાનની આગામી રિલીઝ થનારી ફિલ્મ `પઠાણ`ના એક ગીતના બહિષ્કારના એલાન વચ્ચે તેમની ટિપ્પણી આવી છે. જેમાં દીપિકા પાદુકોણ `બેશરમ રંગ` ગીતમાં કેસરી બિકીનીમાં જોવા મળી રહી છે.જે વિવેચકોના મતે હિંદુ ધર્મના પવિત્ર ભગવા કપડા જેવું લાગે છે.

નોંધનીય છે કે બહિષ્કારનું આ એલાન આમિર ખાન (Aamir Khan)ની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’વિરુદ્ધ કરવામાં આવેલા કોલ જેવું જ છે, જેમાં કરીના કપૂર પણ મહત્વની ભૂમિકામાં હતી. આમિર ખાનના 2015ના ઇન્ટરવ્યુ બાદ સોશિયલ મીડિયાના એક વિભાગે ફિલ્મનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી, જેમાં તેને એવું કહેતા સાંભળવામાં આવ્યું હતું કે તેની તત્કાલીન પત્ની કિરણ રાવે ભારતમાં "વધતી અસહિષ્ણુતા"ને કારણે તેને દેશ છોડવા સૂચવ્યું હતું.

આ પણ વાંચો:ગુજરાતી નાટક પરથી બનેલી સારા અલી ખાનની ફિલ્મ `Ae watan Mere Watan`નું ટીઝર રિલીઝ

કરીના કપૂરે તે સમયે પણ બહિષ્કારના વલણનો વિરોધ કરતા કહ્યું હતું કે, "હકીકત એ છે કે તેઓએ આ ફિલ્મનો બહિષ્કાર ન કરવો જોઈએ, આ ખૂબ જ સુંદર ફિલ્મ છે. અને હું ઈચ્છું છું કે લોકો મને અને આમિર (ખાન)ને જુએ. તેને સ્ક્રીન પર જુઓ. અમે આટલી લાંબી રાહ જોઈ છે. તેથી, કૃપા કરીને આ ફિલ્મનો બહિષ્કાર કરશો નહીં, કારણ કે તે ખરેખર સારી સિનેમાનો બહિષ્કાર કરવા જેવું છે."

જણાવી દઈએ કે હાલના દિવસોમાં બોલિવૂડ ફિલ્મોનો બહિષ્કાર કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ગયા વર્ષે, બ્રહ્માસ્ત્ર અને રક્ષાબંધન જેવી ઘણી મોટી ફિલ્મો ઓનલાઈન બહિષ્કાર ઝુંબેશથી પ્રભાવિત થઈ હતી.

bollywood news kareena kapoor entertainment news laal singh chaddha