કરણ અને કાજોલ ફરી દોસ્ત બની ગયા

27 October, 2014 05:29 AM IST  | 

કરણ અને કાજોલ ફરી દોસ્ત બની ગયા

ઘણા વખત પછી તેઓ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ મુંબઈની હરકિસનદાસ હૉસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું એ સમારંભમાં બન્ને સાથે બેઠેલાં જોવા મળ્યાં હતાં. એ સમારંભમાં તેમના વ્યવહાર વિશે સૂત્રોએ જણાવ્યું હતું કે ‘છ મહિનાની કિટ્ટા પછી બન્ને ખૂબ જ મૈત્રીભાવથી વાતો કરતાં જોવા મળ્યાં હતાં. અગાઉ કોઈ પણ પ્રસંગે બન્ને સામસામે આવી જતાં ત્યારે તેમનામાં જે અણગમો જોવા મળતો હતો એ આ પ્રોગ્રામમાં નહોતો જોવા મળ્યો. શરૂઆતમાં કાજોલ કરણના કોઈક જોક પર ખડખડાટ હસતી જોવા મળી હતી.’વીસેક વર્ષથી દોસ્તી ધરાવતા આ બન્ને જણ છેલ્લે ગયા ઑગસ્ટમાં મનીષ મલ્હોત્રાના ફેશન-શો દરમ્યાન જોવા મળ્યાં ત્યારે એકમેક સાથે વાત નહોતાં કરતાં અને દૂર-દૂર બેઠાં હતાં.