કંગના રનોટ બનશે મીનાકુમારી

21 March, 2015 06:56 AM IST  | 

કંગના રનોટ બનશે મીનાકુમારી



જર્નલિસ્ટ વિનોદ મહેતાનું પુસ્તક ‘મીનાકુમારી-ધ ક્લાસિક બાયોગ્રાફી’ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. મીનાકુમારી ૩૯ વર્ષે જ મૃત્યુ પામી હતી, પરંતુ તેણે કરેલી ફિલ્મો ‘પાકીઝા’, ‘સાહિબ બીબી ઔર ગુલામ’ અને ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’ માટે તેમને હંમેશાં યાદ કરવામાં આવે છે.

આ ફિલ્મના પ્રોડ્યુસર સુનીલ બોહરા પાસે વિનોદ મહેતાના પુસ્તકના તમામ હકો છે અને તેમણે આ ફિલ્મ માટે કંગના રનોટને પસંદ કરી છે. કંગનાએ આ ફિલ્મ માટે તૈયારી પણ બતાવી છે અને તે જેમ બને એમ આ ફિલ્મ માટે તારીખો ફાળવવાની કોશિશ કરશે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ કરવામાં આવશે.