આદિત્ય પંચોલીના માનહાનિ કેસમાં કંગના કોર્ટમાં ગેરહાજર, સમન્સ પાઠવ્યા

26 June, 2019 02:48 PM IST  |  મુંબઈ

આદિત્ય પંચોલીના માનહાનિ કેસમાં કંગના કોર્ટમાં ગેરહાજર, સમન્સ પાઠવ્યા

કંગના રનૌત અને રંગોલી ચંદેલ (ફાઇલ ફોટો)

વર્ષ 2017માં અભિનેતા આદિત્ય પંચોળીએ બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેન સામે માનહાનિનો કેસ કર્યો હતો. કોર્ટમાં ગેરહાજર રહેવાને કારણે બન્ને સામે સમન્સ જાહેર કરવામાં આવ્યા છે.

આદિત્ય પંચોલીએ કંગના અને તેની બહેન પર માનહાનિનો કેસ કર્યો હતો
બોલીવુડ અભિનેતા આદિત્ય પંચોલીએ 2017માં માનહાનિના કેસને કારણે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત માટે મુશ્કેલીઓ વધી શકે છે. મુંબઇની કોર્ટે કંગના અને રંગોલી વિરુદ્ધ સમન્સ પાઠવ્યા છે.

હકીકતે કંગના અને તેની બહેને મામલાની સુનવણી માટે કોર્ટમાં હાજર રહેવાનું હતું, પણ બન્ને કોર્ટમાં હાજર રહી ન હતી, જેના પછી કોર્ટે બન્ને વિરુદ્ધ સમન્સ જાહેર કર્યાં છે. ચીફ મેટ્રોપૉલિટન કોર્ટના મેજિસ્ટ્રેટે બન્ને સામે જુદાં જુદાં સમન્સ પાઠવ્યા છે.

કંગનાએ આદિત્ય પંચોલી પર યૌન શોષણનો આરોપ મૂક્યો હતો
નોંધનીય છે કે આદિત્ય પંચોળી અને કંગના રનૌત વચ્ચે ઘણાં સમયથી વિવાદ ચાલે છે. આદિત્યની વકીલ શ્રેયા શ્રીવાસ્તવના કહ્યાં મુજબ "કંગના ઘણીવાર આદિત્ય પંચોલી પર યૌન શોષણનું આરોપ મૂકી ચૂકી છે." પંચોલી અને તેની પત્ની ઝરીનાએ કંગના અને તેની બહેન પર આરોપ મૂક્યો હતો કે કંગના અને તેની બહેને સોશિયલ મીડિયા પર તેમ જ નેશનલ ટેલીવિઝન પર તેની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો.

આ પણ વાંચો : હ્રિતિકની પૂર્વ પત્ની સુઝૈને પણ કહ્યું,'સુનૈના ઠીક નથી, પરિવારનું સન્માન કરો'

આ બાબતે આદિત્ય પંચોલી કહે છે કે, કોઇપણ સાબિતી વગર મારા પર યૌન શોષણનો આરોપ મૂકવામાં આવ્યો છે. જેને કારણે મને અને મારા પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. હવે આ મામલે આગામી સુનવણી 26 જુલાઇના હશે.

kangana ranaut bollywood aditya pancholi bollywood gossips bollywood news bollywood events