રાનીને અનસંગ વૉરિયર જણાવી કાજોલે

17 December, 2019 12:03 PM IST  |  Mumbai Desk

રાનીને અનસંગ વૉરિયર જણાવી કાજોલે

 ‘મર્દાની 2’ને મળી રહેલી સફળતાને જોતા કાજોલે રાની મુખરજીને અનસંગ વૉરિયર જણાવી છે. કાજોલ અને અજય દેવગન ૨૦૨૦ની ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થનારી ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’માં સાથે જોવા મળવાનાં છે. ‘મર્દાની 2’માં રાની પોલીસ ઑફિસર શિવાની શિવાજી રૉયની ભૂમિકામાં જોવા મળી રહી છે, જે અપરાધીઓને યોગ્ય સજા ફટકારીને ક્રાઇમને ઘટાડવા માટે કટિબદ્ધ છે. આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. રાનીનાં દમદાર પર્ફોર્મન્સને જોતાં ટ્‍‍વિટર પર કાજોલે ટ્વીટ કર્યું હતું કે ‘વધુ એક અનસંગ વૉરિયર. ‘મર્દાની 2’ માટે રાની તારા પર ગર્વ છે.’

kajol rani mukerji bollywood bollywood news bollywood gossips