ન્યુ યૉર્કથી પાછા ફરતાં જ કૈલાશ ખેર હૉસ્પિટલમાં

24 May, 2015 05:30 AM IST  | 

ન્યુ યૉર્કથી પાછા ફરતાં જ કૈલાશ ખેર હૉસ્પિટલમાં




પોતાના વ્યસ્ત કાર્યક્રમને લીધે સેલિબ્રિટીઓને સતત તબિયતની ફરિયાદો હોય છે. આ દોડાદોડીનો ભોગ કૈલાશ બન્યો છે. કાર્યક્રમ માટે ન્યુ યૉર્ક ગયેલા કૈલાશને મુંબઈ પાછા ફરતાં જ હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. આરોગ્ય પ્રત્યે દુર્લક્ષ સેવતાં પોતાની તબિયત બગડી છે એમ કૈલાશે હૉસ્પિટલમાંથી જણાવ્યું હતું. અસ્વસ્થ તબિયતને કારણે કૈલાશે ગુજરાતમાં ભરૂચ ખાતે થનારો પોતાનો કાર્યક્રમ રદ કર્યો છે. મારી કારકિર્દીમાં પહેલી વાર મારે કાર્યક્રમ રદ કરવો પડ્યો છે એમ કૈલાશે જણાવ્યું હતું.