ગણપતિ વિસર્જન બાદ બીચની સાફસફાઈ કરી જૅકી ભગનાણીએ

14 September, 2019 02:02 PM IST  |  મુંબઈ ડેસ્ક

ગણપતિ વિસર્જન બાદ બીચની સાફસફાઈ કરી જૅકી ભગનાણીએ

જેકી ભગનાણી

મુંબઈ (આઇ.એ.એન.એસ.) : ગણપતિ વિસર્જન બાદ ગુરુવારે જૅકી ભગનાણીએ બીચની સાફસફાઈ હાથ ધરી હતી. ગિરગામ ચોપાટીમાં આ અભિયાનમાં જૅકીની સાથે અનેક વૉલન્ટિયર્સે પણ ભાગ લીધો હતો. આ વિશે જૅકીએ કહ્યું હતું કે ‘આપણા પ્લૅનેટને સ્વચ્છ રાખવાની જવાબદારી દરેક નાગરિકની છે. વર્તમાન સમયમાં લોકો સાથે મળીને બીચની સાફસફાઈ કરવા માટે આગળ આવે છે એ ખરેખર પ્રશંસનીય છે. મારું માનવું છે કે આપણે જેમ બને એમ પ્લાસ્ટિક અને એની પ્રોડક્ટ્સનો ઉપયોગ ટાળવો જોઈએ. હું લોકોને વિનંતી કરું છું કે આપણી કુદરતને એક પરિવાર તરીકે ગણવામાં આવે.’

jackky bhagnani bollywood bollywood gossips bollywood news bollywood events