07 November, 2025 02:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનું પોસ્ટર
‘છાવા’ની સફળતા પછી વિકી કૌશલ હવે ‘મહાવતાર’ જેવા પૌરાણિક મહાકાવ્ય પર કામ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ફિલ્મ ચિરંજીવી પરશુરામના જીવન પર આધારિત છે. મળતી માહિતી પ્રમાણે આવતા વર્ષે એક ભવ્ય પૂજા-સમારંભ સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મની તૈયારી શરૂ કરવા માટે વિકીએ દારૂ અને નૉન-વેજ છોડવાનો નિર્ણય લીધો છે. ‘મહાવતાર’ ૨૦૨૬ના અંતમાં ફ્લોર પર આવશે અને ૨૦૨૮માં રિલીઝ થાય એવી શક્યતા છે.
વિકીના આ પ્રયાસો વિશે વાત કરતાં તેના કામ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘‘મહાવતાર’ જેવી ફિલ્મ માટે સંપૂર્ણ એકાગ્રતા જરૂરી છે અને વિકીને આ વાતનો અહેસાસ છે. વિકી અને ડિરેક્ટર અમર કૌશિક બન્ને આ ફિલ્મ માટે સંપૂર્ણ સમર્પિત છે અને બન્નેએ શૂટિંગ દરમ્યાન નૉન-વેજ છોડવાનો નિર્ણય લીધો છે. અમર કૌશિક તો અત્યારથી પોતાની ખાવા-પીવાની આદતોમાં બદલાવ લાવી ચૂક્યો છે, જ્યારે વિકી ‘લવ ઍન્ડ વૉર’નું શૂટિંગ પૂરી થયા બાદ તેનો આ નિર્ણય અમલમાં મૂકશે. આ તેમના માટે ભગવાન પરશુરામના પાત્ર પ્રત્યે આદર વ્યક્ત કરવાની રીત છે.’