આદિત્ય ચોપડા ને શાહરુખ ખાનની જોડી પાછી આવે છે

04 April, 2014 06:35 AM IST  | 

આદિત્ય ચોપડા ને શાહરુખ ખાનની જોડી પાછી આવે છે


યશરાજ ફિલ્મ્સના કર્તાહર્તા એવા આદિત્ય ચોપડા અને શાહરુખ ખાન વચ્ચે આ બાબતમાં મીટિંગ પણ થઈ ચૂકી છે અને અત્યારે આદિત્યએ ઑલરેડી સ્ક્રિપ્ટ પર કામ પણ શરૂ કરી દીધું છે. જો બધું સમયસર પાર પડ્યું તો આદિત્ય-શાહરુખની આ ફિલ્મનું શૂટિંગ ૨૦૧૫માં શરૂ થશે.

શાહરુખ ખાન માટે યશરાજ ફિલ્મ્સ હંમેશાં ઘર જેવું રહ્યું છે. કિંગ ખાને પોતાના અનેક ઇન્ટરવ્યુમાં અગાઉ કહ્યું છે કે તે આદિત્ય કે યશ ચોપડાને ફિલ્મ માટે હા પાડતાં ક્યારેય ખચકાય નહીં. ૨૦૦૮માં ‘રબ ને બના દી જોડી’ પછી આદિત્યએ કોઈ ફિલ્મ ડિરેક્ટ નથી કરી. સ્વાભાવિક છે કે જો આદિત્ય ડિરેક્શન ચૅર સંભાળવાનો હોય તો શાહરુખ કોઈ કાળે એ ફિલ્મ કરવાની ના પાડે નહીં.