શું સુષ્મિતા સેનના ભાઈ-ભાભીના સંબંધોમાં પડી તિરાડ?

01 August, 2019 09:04 AM IST  |  મુંબઈ

શું સુષ્મિતા સેનના ભાઈ-ભાભીના સંબંધોમાં પડી તિરાડ?

શું સુષ્મિતા સેનના ભાઈ-ભાભીના સંબંધોમાં પડી તિરાડ?

બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને ચારૂ અસોપાએ 19 જૂને લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં બંને વચ્ચે પ્રેમ નજર આવી રહ્યો છે. પરંતુ હવે બંનેને લઈને ચોંકવાનારી ખબરો સામે આવી રહી છે. ચારૂ અને રાજીવે ઈન્સ્ટાગ્રામ પર અનફૉલો કરી દીધા છે. એવામાં એ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.


એટલું જ નહીં બંનેએ ઈન્સ્ટાગ્રામ પર પ્રોફાઈલ ફોટો પણ ચેન્જ કરી દીધો છે. પહેલા બંનેને અકાઉન્ટ પર કપલનો ફોટો લગાવેલો હતો, પરંતુ હવે બંનેએ પોતાની સિંગલ ઈમેજ લગાવી લીધી છે. આ તમામ ફેરફારથી એવા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બંને વચ્ચે અણબનાવ છે. હાલમાં જ ચારૂએ પોતાની  એક તસવીર પણ પોસ્ટ કરી છે. સાથે તેણે એક ફેમસ ગઝલની એક લાઈન લખી છે. જે એ વાતની હિન્ટ મળે છે કે તે પરેશાન છે.

ચારૂએ લખ્યું કે, હમ લબોં સે કહ ના પાએ ઉનસે હાલ-એ-દિલ કભી ઔર વો સમઝે નહીં ખામોશી ક્યા ચીઝ હૈ. એ પહેલા જ ચારૂએ પોતાનો વધુ એક સિંગલ ફોટો શેર કરતા એક કેપ્શન લખ્યું કે જે થોડું અજીબ હતું. ચારૂએ લખ્યું હતું કે, ચુપ હતા તો જિંદગી ચલ રહી થી લાજવાબ, ખામોશિયાં બોલને લગી તો બબાલ હો ગયા.

sushmita sen bollywood news