03 April, 2019 04:13 PM IST |
ઈરફાન ખાન
ફિલ્મ અભિનેતા ઇરફાન ખાને સોશિયલ મીડિયા પર એક ભાવુક મેસેજ દ્વારા તે બધાંનો આભાર માન્યો જે બીમારી દરમિયાન તેની સાથે હતાં અને તે જલ્દી સાજો થઈ જાય તેવી પ્રાર્થનાઓ કરી. તેણે આ મેસેજ તેના ફેન્સ માટે શેર કર્યો છે.
આ મેસેજમાં ઇરફાન ખાને લખ્યું છે કે, "જીતની લાલચમાં આપણે ભૂલી જઈએ છીએ કે કોઈ આપણને પ્રેમ કરે તે કેટલું મહત્વનું છે પણ જ્યારે આપણે ખરાબ સમયમાંથી પસાર થતાં હોઇએ ત્યારે એ વાતનો ખ્યાલ આવે છે. હવે હું મારા જીવનમાં છેલ્લા કેટલાક દિવસોમાં જે બનાવો બન્યા છે તેને છોડીને આગળ વધી રહ્યો છું, ત્યારે મારે એ બધાંનો આભાર વ્યક્ત કરવો છે, જેઓ મારી સાથે ઊભા રહ્યા મને ખૂબ જ પ્રેમ અને શુભેચ્છાઓ મોકલી. જેણે મને આ બીમારીમાંથી ઉગરવામાં ખૂબ જ મદદ કરી. હું પાછો આવી રહ્યો છું અને તમારા બધાંનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું."
આ પણ વાંચો : દબંગ સલમાન ખાને કરી સાઇકલ પર સવારી
ઇરફાનને ન્યૂરો ઈંડોક્રાઇન ટ્યૂમર નામની બીમારી થઈ છે જેની સારવાર ચાલી રહી છે અને છેલ્લા કેટલાક દિવસો પહેલા તે મુંબઈ પાછો આવી ગયો. તે ટૂંક સમયમાં જ હિંદી મીડિયમ ફિલ્મની સિક્વલની શૂટિંગ શરૂ કરશે. તાજેતરમાં જ તેની ઘણી તસવીરો આવી છે. તેના મિત્ર ડિરેક્ટર તિગ્માંશૂ ધૂલિયાએ કહ્યું કે તે ફરી ઇરફાન સાથે કોઇ ફિલ્મમાં કામ કરે તેના પર વિચાર કરી રહ્યો છે અને ટૂંક સમયમાં બંને સાથે જોવા મળશે. જણાવીએ કે 2017માં ઇરફાન ખાનની ફિલ્મ હિંદી મીડિયમે બૉક્સ ઑફિસ પર શાનદાર સફળતા મેળવી હતી.