જલ્દી થશે મોટા પડદા પર ઈરફાન ખાનની વાપસી

03 March, 2019 09:19 PM IST  |  મુંબઈ

જલ્દી થશે મોટા પડદા પર ઈરફાન ખાનની વાપસી

ઈરફાન ખાનના ચાહકો માટે સારા સમાચાર

ડિરેક્ટર-પ્રોડ્યુસર તિગ્માંશુ ધુલિયાએ ઈરફાનના ચાહકોને રાહતના સમાચાર આપ્યા છે. તિગ્માંશુએ કહ્યું કે ઈરફાન ખાન હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. તેઓ ભારત આવ્યા બાદ હું તેમને મળ્યો છું. અને જલ્દી જ તેઓ હિન્દી મીડિયમ-2નું શૂટિંગ શરૂ કરશે.

આ પણ વાંચોઃ ઇરફાન હજી એક વર્ષ સુધી ફિલ્મોમાં કામ નહીં કરે?

હિન્દી મીડિયમ-2નું શૂટિંગ શેડ્યૂલ ગયા વર્ષે 2018નાં ઓગસ્ટ મહિનામાં રાખવામાં આવ્યું હતું. પરંતુ ઈરફાન ખાનની તબિયત નાદુરસ્ત હતી. અને તેઓ સારવાર માટે લંડન ગયા હતા. જો કે હવે ઈરફાન ત્યાંથી સાજા થઈને પરત ફર્યા છે. અને જલ્દી તેઓ મોટા પડદે જોવા મળશે.

ગયા વર્ષે માર્ચ મહિનામાં ઈરફાન ખાને તેમને ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમર હોવાનો ખુલાસો કર્યો હતો. જે બાદ તેઓ લંડનમાં સારવાર કરાવી રહ્યા હતા અને આટલો સમય લાઈમલાઈટથી દૂર હતા.

irrfan khan hindi medium tigmanshu dhulia