થિયેટર્સમાં ૧૧ ડિસેમ્બરે જોવા મળશે ઇન્દુ કી જવાની

22 November, 2020 08:03 PM IST  |  Mumbai | Agencies

થિયેટર્સમાં ૧૧ ડિસેમ્બરે જોવા મળશે ઇન્દુ કી જવાની

થિયેટર્સમાં ૧૧ ડિસેમ્બરે જોવા મળશે ઇન્દુ કી જવાની

કિયારા અડવાણી અને આદિત્ય સીલની ‘ઇન્દુ કી જવાની’ ૧૧ ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં મૉડર્ન લવ-સ્ટોરી એટલે કે ઑનલાઇન ડેટિંગ દેખાડવામાં આવશે. ફિલ્મને અબીર સેનગુપ્તાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મને ટી-સિરીઝ, નિખિલ અડવાણી, મધુ ભોજવાણી અને મોનિશા ભોજવાણીએ પ્રોડ્યુસ કરી છે. લૉકડાઉનને કારણે ફિલ્મોને ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. જોકે હવે ધીમે-ધીમે સ્થિતિ થાળે પડતી હોવાથી મેકર્સ ફિલ્મોને થિયેટર્સમાં રિલીઝ કરવાનો નિર્ણય લઈ રહ્યા છે. 

bollywood bollywood news bollywood gossips