22 November, 2020 08:03 PM IST | Mumbai | Agencies
થિયેટર્સમાં ૧૧ ડિસેમ્બરે જોવા મળશે ઇન્દુ કી જવાની
કિયારા અડવાણી અને આદિત્ય સીલની ‘ઇન્દુ કી જવાની’ ૧૧ ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં મૉડર્ન લવ-સ્ટોરી એટલે કે ઑનલાઇન ડેટિંગ દેખાડવામાં આવશે. ફિલ્મને અબીર સેનગુપ્તાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મને ટી-સિરીઝ, નિખિલ અડવાણી, મધુ ભોજવાણી અને મોનિશા ભોજવાણીએ પ્રોડ્યુસ કરી છે. લૉકડાઉનને કારણે ફિલ્મોને ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. જોકે હવે ધીમે-ધીમે સ્થિતિ થાળે પડતી હોવાથી મેકર્સ ફિલ્મોને થિયેટર્સમાં રિલીઝ કરવાનો નિર્ણય લઈ રહ્યા છે.