01 September, 2020 09:58 PM IST | Mumbai | Mumbai Correspondent
સ્મૃતિ ઇરાની
ભૂતપૂર્વ અભિનેત્રી અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ‘રસોડે મેં કૌન થા’ વિડિયો રીપોસ્ટ કર્યો હતો. જોકે પછી તેમણે આ વિડિયો ડિલીટ કરી નાખ્યો. આની પાછળનું કારણ આપતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે ‘મને જાણવામાં આવ્યું છે કે યશરાજ મુખાતે (જેણે આ વિડિયો બનાવ્યો અને વાઇરલ થયો એ કમ્પોઝર)એ આપણાં સુરક્ષાદળો પર થયેલા પુલવામા-અટૅકના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું. મેં દેશના યુવાન ટૅલન્ટને પ્રમોટ કરવાના હેતુથી વિડિયો રીપોસ્ટ કર્યો હતો, પણ દેશના વિરુદ્ધ લખનારાઓને હું સમર્થન નહીં આપું એટલે તેમનો રીપોસ્ટ કરેલો વિડિયો હું હટાવું છું.’